સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત
સ્નાતક કક્ષાના તમામ અભ્યાસકમોમાં કોઇપણ વર્ષ કે સેમેસ્ટરમાં
નવો પ્રવેશ મેળવલા માટે ધોરણ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં
સ્નાતક કક્ષાના અભ્યાસકમની ટકાવારીના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
નોંધઃ વિધાર્થીએ ૫૦%,
કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15/10/2021
૦ રિન્યુ વિઘાર્થીઓને પ્રવેશ મેળવવા માટેના લાયકાતના ધોરણો
વેબસાઈટ પર ઉપલબ્ધ છે. .
૦ જે વિધાર્થીઓએ વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષમાં અરજી કરેલ હોય પરંતુ કોવિડ ૧૯ના કારણે પ્રવેશ આપવામાં આવેલ ન હોય
તેવા વિધાર્થીઓએ નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અગાઉ
કરેલ અરજી માન્ય ગણાશે નહિ.
૦ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિધાર્થીઓએ
વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે
અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે.
૦ જો કોઈ વિધાથિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના
પ્રમાણપત્રોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ
કરવામાં આવશે.
૦ વિધાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક ,દાવો કરી શકશે નહિ; સમરસ
છાત્રાલયમાં પ્રવેશ અંગેની અંતિમ યાદી કોવિડ-૧૯ની
પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા નક્કી કરેલ નિયમોના
આધારે બહાર પાડવામાં આવશે.
૦ હાલમાં કોવિડ-૧૯ને કારણે ફક્ત રિન્યુ વિધાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ છાત્રાલયની ક્ષમતા મુજબ
નવા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
૦ અનિવાર્ય સંજોગોમાં કોવિડ ૧૯ મહામારી અથવા કોઈપણ કારણોસર સરકારશ્રી/ સ્થાનિક પ્રશાશનને સમરસ છાત્રાલય
કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાની જરૂરીયાત જણાય તો
પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને છાત્રાલય તાત્કાલિક ખાલી
કરવાની શરતે પ્રવેશ આપવામાં આવશે.
૦ સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો;ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપૂર્ણ અભ્યાસ
કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
૦ ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.
૦ પ્રવેશ અંગેની વધુ માહિતી માટે સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.
વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો