Bharat Ratna
ભારત રત્ન
ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે. આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે. જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.
- ભારત રત્ન એ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, તેની શરૂઆત 1954માં કરવામાં આવી હતી.
- અત્યાર સુધીમાં 48 લોકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે
- સર્વપલ્લી રાધાકૃષ્ણન, સર સી.વી. રામન, ચક્રવર્તી રાજગોપાલાચારીને સૌપ્રથમ 1954માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રથમ મરણોત્તર ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીને આપવામાં આવ્યો હતો.
- અત્યાર સુધીમાં બે વિદેશીઓને આ સન્માન મળ્યું છે
> અબ્દુલ ગફાર ખાન, 1987
> નેલ્સન મંડેલા, 1990
સચિન તેંડુલકર 2014માં ભારત રત્ન મેળવનાર સૌથી યુવા છે
- રાજીવ ગાંધીને મરણોત્તર આ સન્માન સૌથી નાની વયે આપવામાં આવ્યું હતું, તેમને 47 વર્ષની ઉંમરે મરણોત્તર આપવામાં આવ્યું હતું.
- ડીકે કર્વે સૌથી વૃદ્ધ ભારત રત્ન હતા, તેમને 100 વર્ષની ઉંમરે એનાયત કરવામાં આવ્યો હતો.
ઈન્દિરા ગાંધી ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા હતા.
● તમામ ભારત રત્ન વિજેતાઓની યાદી
૧. સર્વપલ્લી રાધાકૃષ્ણન - 1954
૨. ચક્રવર્તી રાજગોપાલાચારી - 1954
3. સીવી રમન - 1954
૪. ભગવાનદાસ - 1955
૫. મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય - 1955
૬. જવાહરલાલ નેહરુ - 1955
૭. ગોવિંદ વલ્લભ પંત - 1957
૮. ડૉ. ધોંડો કેશવ કર્વે - 1958
૯. ડૉ. બિધાનચંદ્ર રોય - 1961
૧૦. પુરુષોત્તમ દાસ ટંડન - 1961
૧૧. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ - 1962
૧૨. ડૉ. ઝાકિર હુસૈન - 1963
૧૩. ડૉ. પાંડુરંગ વામન કાણે - 1963
૧૪. લાલ બહાદુર શાસ્ત્રી - 1966
૧૫. ઈન્દિરા ગાંધી - 1971
૧૬ વરાહગીરી વેંકટ ગીરી - 1975
૧૭. ના. કામરાજ - 1976
૧૮. મધર ટેરેસા - 1980
૧૯. આચાર્ય વિનોબા ભાવે - 1983
૨૦. ખાન અબ્દુલ ગફાર ખાન - 1987
૨૧. એમજીઆર - 1988
૨૨. ડૉ. ભીમરાવ આંબેડકર - 1990
૨૩. નેલ્સન મંડેલા - 1990
૨૪. રાજીવ ગાંધી - 1991
૨૫. સરદાર વલ્લભભાઈ પટેલ - 1991
૨૬. મોરારજી દેસાઈ - 1991
૨૭. મૌલાના અબુલ કલામ આઝાદ - 1992
૨૮. જેઆરડી ટાટા - 1992
૨૯. સત્યજીત રે - 1992
૩૦. અબ્દુલ કલામ - 1997
૩૧. ગુલઝારી લાલ નંદા - 1997
૩૨. અરુણા અસફ અલી - 1997
૩૩. એમએસ સુબ્બુલક્ષ્મી - 1998
૩૪. સી સુબ્રમણ્યમ - 1998
૩૫. જયપ્રકાશ નારાયણ - 1998
૩૬. પં. રવિશંકર - 1999
૩૭. અમૃત્ય સેન - 1999
૩૮. ગોપીનાથ બોરડોલોઈ - 1999
૩૯. લતા મંગેશકર - 2001
૪૦. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન - 2001
૪૧. પં. ભીમસેન જોશી - 2008
૪૨. સી.એન.આર. રાવ - 2014
૪૩. સચિન તેંડુલકર - 2014
૪૪. અટલ બિહારી વાજપેયી - 2015
૪૫. મહામના મદન મોહન માલવિયા - 2015
૪૬. પ્રણવ મુખર્જી - 2019
૪૭. નાનાજી દેશમુખ - 2019
૪૮. ભૂપેન હજારિકા - 2019
સ્ત્રોત : વિકિપીડિયા અને વેબસાઈટ