Maha Shivratri
મહાશિવરાત્રી
મહાશિવરાત્રી
* મહાશિવરાત્રી એ ભારતીયોનો મુખ્ય તહેવાર છે
* આ ભગવાન શિવનો મુખ્ય તહેવાર છે
* મહાશિવરાત્રીનો તહેવાર માઘ ફાગુન કૃષ્ણ પક્ષ ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે.
* એવું માનવામાં આવે છે કે આ દિવસથી સૃષ્ટિની શરૂઆત થઈ હતી.
* પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે અગ્નિલિંગ (જે મહાદેવનું વિશાળ સ્વરૂપ છે) ના ઉદય સાથે સૃષ્ટિની શરૂઆત થઈ હતી.
આ દિવસે ભગવાન શિવના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા.
* મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને પત્ની પાર્વતીની પૂજા કરવામાં આવે છે, આ પૂજા વ્રત રાખીને કરવામાં આવે છે.
* એક વર્ષમાં આવતી 12 શિવરાત્રીઓમાં મહાશિવરાત્રી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
* મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
* કાશ્મીર શૈવ ધર્મમાં, આ તહેવારને દરરોજ રાત્રે અને બોલચાલમાં 'હેરાથ' અથવા 'હેરાથ' પણ કહેવામાં આવે છે.
* આ પ્રસંગે ભગવાન શિવનો અભિષેક અનેક રીતે કરવામાં આવે છે. જલાભિષેકઃ જળથી અને દુગ્ધાભિષેકઃ દૂધ સાથે.
* શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રી પૂજામાં છ વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે:
> શિવલિંગનો જળ, દૂધ અને મધથી અભિષેક કરો. બેર અથવા બેલ પાંદડા જે આત્માના શુદ્ધિકરણનું પ્રતિનિધિત્વ કરે છે;
> સ્નાન કર્યા પછી શિવલિંગ પર સિંદૂરની પેસ્ટ લગાવવામાં આવે છે. તે સદ્ગુણનું પ્રતિનિધિત્વ કરે છે;
> ફળો, જે દીર્ધાયુષ્ય અને ઇચ્છાઓની સંતોષનું પ્રતિનિધિત્વ કરે છે;
> ધૂપ, સંપત્તિ, ઉત્પાદન (અનાજ) સળગાવવું;
> જ્ઞાનની પ્રાપ્તિ માટે અનુકૂળ હોય તે દીવો;
> અને સોપારી જે સાંસારિક આનંદ સાથે સંતોષ દર્શાવે છે.
* શિવપુરાણ અનુસાર શિવલિંગ પર તુલસીના પાન, હળદર, સિંદૂર અને કુમકુમ ક્યારેય ન ચઢાવવી જોઈએ. તેમને નાળિયેર કે નાળિયેરનું પાણી પણ ગમતું નથી. એટલા માટે આ વાતો ભૂલીને પણ મહાશિવરાત્રિ પર અર્પણ કરવાની ભૂલ ન કરો.
મહાશિવરાત્રીનું
મહત્વ
ગુરદ્રહ નામક એક પાપી શિકારી વનમાં જઈ
ને દર રોજ જીવ હત્યા ચોરી આદિ દુષ્કર્મ કરતો હતો. એક વાર શિવરાત્રિ ના દિવસે તે
પોતાની ગર્ભવતી સ્ત્રી ના સાથે શિકાર ની શોધ માં નિકળ્યો. પણ આ એક સરોવર ના પાસે
બીલી વૃક્ષ ની આડ માં છુપાઈ ને આ આશયથી બેસી ગયો કે પાણી પીવા આવેલ પ્રાણી ને મારી
ને પોતાની સુધા (ભૂખ) શાંત કરશે. સંયોગવશ રાત્રી ના પ્રથમ પ્રહર માં એક મૃગી (હરણી) પાણી
પીવા ત્યાં આવી ત્યારે શિકારીએ પોતાના ધનુષ ઉપર બાણ ચઢાવ્યો, એવું
કરવાથી બીલી પત્ર ત્યાં હતા તે વૃક્ષ ના નીચે સ્થિત શિવલિંગ પર
પડયા જેથી શિવપૂજન તો થઈ ગયુ. મૃગી એ આર્તવાણી માં નિષાદ ને કહ્યું કે તમે મને
થોડી વાર માટે ધરે જવા દે. હું મારા નાના નાના બાળક ની વ્યવસ્થા કરીને પાછી આવું
છું. મૃગી એ શપથ પૂર્વક વિશ્વાસ દીધુ. આથી નિષાદે તેને ઘેર જવાની આજ્ઞા આપી. અને
તેની પ્રતીક્ષા માં તેને એક પ્રહર નુ જાગરણ થઈ ના વૃક્ષો થી જે ગયું.
બીજા પ્રહર ની શરૂઆત થઈ તે મૃગી ને શોધતી ત્યાં તેની બહેન પેલા તળાવે આવી ગયી.
નિષાદે તે મૃગી ઉપર તીર સાધવાનો વિચાર કર્યો બાણ વૃક્ષ થી અયડાતા પાણી
અને બીલીપત્ર વૃક્ષ ના અન્તઃ સ્થિત જયોતિર્લિંગ ઉપર પડયા અને આથી ફરી એકવાર પૂજા થઈ
ગઈ આ મૃગી ને જયારે નિષાદે મારવા તૈયાર થયો તો તે આતુર વાણી થી થોડી વાર માટે ઘરે
થી પોતાના બાળકો થી મળી ને આવવાની વાત કહી . નિષાદે તેને રજા આપી. તેની પ્રતીક્ષા
માં તેણે બીજા પ્રહર નું જાગરણ થઈ ગયું ત્રીજા પ્રહર મૃગી ને શોધતો એક હષ્ટ પુષ્ટ
મૃગ ત્યાં આવી પહોંચ્યો. નિષાદે તેના પર બાણ છોડવાની ચેષ્ટા થી વૃક્ષ ફરી થી
હાલ્યો અને જયોતિર્લિંગ ઉપર બીલીપત્ર અને ઓસરૂપી પાણી નીચે પડયા, નિષાદ
ની અજ્ઞાનતા થી ત્રીજા પહર ની પૂજન થઈ ગયું.
મૃગે પણ કાતરવાણી થી નિષાદ થી પોતાના
બાળકો ની વ્યવસ્થા કરવા માટે થોડો સમય વાર જોવાનું કહ્યું અને પોતે પાછો આવશે તે સોગંધ ખાઈ ને વિશ્વાસ અપાવ્યો તેની પ્રતીક્ષા માં નિષાદે તૃતીય પ્રહર નું જાગરણ
થઈ ગયું. ધર પહોચંતા ત્રણે મૃગ અને મૃગીયો એ એક બીજાને એક જેવી વાત કહી સંભળાવી, તો
મૃગે પોતાની મૃગીયો ને બાળકોનું લાલન પાલન નું દાયિત્વ સૌપી પોતે નિષાદ ના પાસે
જવાનો વિચાર કર્યો. મૃગીયો એ વૈદ્યવ્ય જીવન નું દુ:ખ અસહ્ય બતાવતા, સ્વયં
પણ સાથે ચાલવાનું કહ્યું. અહીં બાળકો પણ માતા - પિતાના પાછળ ચાલતા ચાલતા ત્યાં
પહુંચી ગયા. ચૌથા પ્રહર માં જયારે નિષાદે ધનુષ પર બાણ ચઢાવ્યુ. તેની આ પ્રહાર ની
ચેષ્ટા થી ઓસ રૂપી જળ બીલીપત્ર પાછા શિવજી પર ચઢવાથી ચૌથી પૂજા થઈ ગઈ. આથી નિષાદ
નું પાપ બળી ને ભસ્મ થઈ ગયુ. અને તેને જ્ઞાનોદય થયુ. જેના ફળસ્વરૂપ મૃગ - મૃગીની
સત્ય નિષ્ઠા અને વચન બદ્ધતા તથા પરોપકાર પરાયણતા જોઈને તેણે મૃગ પરિવાર ની પ્રશંસા
કરતા મુકત કરી દીધા. નિષાદ ના આ આચરણ થી પ્રસન્ન થઈ ને શિવજી પ્રકટ થઈ ગયા, અને
તેને વર માંગવાનું કહ્યું. તે નિષાદ શિવજી ની સ્તુતિ કરતા કહ્યું કે લોક કલ્યાણ
માટે તમે ત્યાં જ સ્થિત રહેવા વરદાન માંગ્યુ,
જે શિવજી એ "તથાસ્તુ'' કહી દીધું. ત્યાર થી
અર્બુદાચલ પર્વત ઉપર શિવજી વ્યાધેશ્વર નામથી સ્થિત થયા.
આવી રીતે શિવરાત્રી ના દિવસે જ્ઞાન થી
અજ્ઞાન થી કર્યું ગયુ જાગરણ તથા પૂજન કરી તેને શિવજી ના દર્શન કર્યા. શિવજી ના આ
બધા દિવ્ય જયોતિર્લિગ નું પરિચય દેવા ના ઉપરાન્તા સૂતજી એ ત્રષિય થી કહ્યું કે
બ્રહ્મા , વિષ્ણુ આદિ દેવતા તો ધર્મ,
અર્થ,
કામ ત્રિવર્ગ ના જ દાતા છે. મોક્ષ ના પ્રદાતા તો એક માત્ર
જ્ઞાન સ્વરૂપ અવિનાશી,
સાક્ષી,
જ્ઞાન ગમ્ય તથા સ્વયં અંત મહાદેવજી જ છે. તે ચારો સાયુજય, સાલાકેય, આરૂધ્ય
તથા સાનિધ્ય પ્રકાર ની મુકિત ના પ્રદાતા છે. શિવજી ની સૃષ્ટિ ના આદિમાં નિર્ગુણ
પરમાત્મા થી સગુણ શિવજી બનીને આવિર્ભત થયા છે. ત્રિગુણાતીત શિવજી માં અને સગુણ
રૂદ્ર માં સ્વર્ણ અને આભૂષણ ના સમાન આકાર ભેદ ને છોડી ને બીજો કોઈ પણ ભેદ નથી.
શંકરજી જ બ્રહ્મા,
વિષ્ણુ આદિ દેવોના સહાયક છે. બધા દેવ નો લય શિવમાં જ છે અને
આત્મ કલ્યાણ ના ઈચ્છુક બધા મનુષ્ય તથા બધા કાર્યો ના આદિ કારણ અને નિયન્ના છે. આ
શિવજી જ સૃષ્ટિ ની રચના કરે છે અને તેમાં લિપ્ત નથી થતા. જે પ્રકારે પાણી માં
અગ્નિ આદિ તેજ ની પરછાઈ નું ભાન થાય છે. પણ વાસ્તવ માં તેમાં પ્રવિષ્ટ નથી, તે જ
પ્રકારે શિવ સૃષ્ટિ માં લિપ્ત નથી,
જેમ અગ્નિ દરેક કાષ્ટ માં આક્ષત છે. વિદ્યમાન છે પણ ઘર્ષક જ
તેને પ્રત્યક્ષ રૂપ માં જોઈ શકે છે. તેમ જ સૃષ્ટિ ના અણુ - પરમાણુ માં વ્યાપ્ત
શિવજી ને સાધક જ તેમને જોઈ શકે છે તેવી રીતે સૃષ્ટિ ના અણુ પરમાણુ માં વ્યાપ્ત
શંકરજી ને માત્ર સાધક જ જોઈ શકે છે. તેમજ સમુદ્ર મુક્તિકા અને સ્વર્ણ ઉપાધિ ભેદ થી
અનેક ભાવ ને પ્રાપ્ત થાય છે. જેમ એક જ સૂર્ય પાણી માં અનેક રીતે દેખાય છે. તેવી જ
રીતે એક જ શિવ બ્રાન્તિ થી અનેક દેખાય છે. ભ્રાંતિ નાશ થતાં જ અભયબુદ્ધિ થઈ જાય
છે. અહંકાર થી મુકત નિર્મળ અને બુદ્ધિમાન જીવન શિવના પ્રસાદ થી શિવત્વ ને પ્રાપ્ત
થાય છે. આ બધુ ઉપર્યુકત વિવરણ પ્રસ્તુત કરવા ઉપરાંત સૂતજી બોલ્યા - હે પુણ્યાત્મા
ઋષિયો. આ પરમ પવિત્ર દિવ્ય અને ગુપ્ત જ્ઞાન સાક્ષાત શિવજી એ વિષ્ણુજી ને, વિષ્ણુજીએ
બ્રહ્માજીને બ્રહ્માએ સનકાદિક ને,
સનકાદિકો એ નારદ ને,
નારદે વ્યાસજી ને અને વ્યાસજી એ સૂતજી ને અને મેં તમને
કહ્યું. આના શ્રવણ થી મનન થી કાંઈ પણ દુર્લભ નહી રહેતુ.
ઓમ નમ:શિવાય