વિશ્વ વન્યજીવ દિવસ
જૈવ
વિવિધતાની સમૃધ્ધિ પૃથ્વીને રહેવાલાયક બનાવવા માટે
યોગ્ય બનાવે છે પરંતુ આજના સમયની વક્રોક્તિ એ છે કે સતત વધતું પ્રદૂષણ વાતાવરણ પર
એ રીતે વિપરિત અસર કરી રહ્યું છે કે જેના ખરાબ પરિણામ તરીકે જીવ-જંતુઓ અને
વનસ્પતિઓની અનેક પ્રજાતિઓ ધીરે-ધીરે લુપ્ત થવાને આરે છે. આ જ કારણોસર સંયુક્ત
રાષ્ટ્રએ 3
માર્ચના દિવસને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી.
જો દેશમાં
લુપ્ત થતી પ્રજાતિઓ પર પ્રકાશ પાડીએ તો તેમાં કાશ્મીરમાં જોવા મળતા હાંગલૂની
સંખ્યા માત્ર 200ની આસપાસ રહી છે, જેમાંથી અંદાજે 110 હાંગલૂ દાચીગામ નેશનલ પાર્કમાં રહે છે. એ જ રીતે સામાન્યપણે અમૂક
વિસ્તારમાં જોવા મળતા બારાસિંગા હરણની પ્રજાતિ હવે મધ્યભારતના કેટલાક વનો સુધી જ
મર્યાદિત રહી છે.
દક્ષિણ
અંદમાનના માઉન્ટ હેરિયટમાં જોવા મળતા વિશ્વના સૌથી નાના સસ્તન પ્રાણી સફેદ દાંત
ધરાવતા છછૂંદરની પ્રજાતિ પણ લૂપ્ત થવાને આરે છે. એશિયન સિંહ પણ હવે માત્ર ગુજરાતના
જંગલો સુધી જ સીમિત છે. દેશમાં વાર્ષિક સ્તરે અનેક વાઘો મૃત્યુ પામે છે, હાથી ટ્રેનથી ટકરાઇને મૃત્યુ પામે છે. તેમાંથી અનેકને તો વન્ય તસ્કર જ
મારી નાંખે છે.
ઇન્ટરનેશનલ
યૂનિયન ફોર કંઝર્વેશન ઑફ નેચર અનુસાર ભારતમાં છોડોની અંદાજે 45 હજાર પ્રજાતિઓ મળી આવે છે. તેમાંથી પણ 1336 છોડની
પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે. આ જ રીતે ફૂલોની જોવા મળતી 15 હજાર પ્રજાતિઓમાંથી 1500 જેટલી પ્રજાતિઓ લુપ્ત
થવાના કગાર પર છે.
પર્યાવરણ
નિષ્ણાતો તેમજ વૈજ્ઞાનિકો અનુસાર પ્રદૂષણ તેમજ ધૂમ્મસભર્યા વાતાવરણમાં કીડા-મકોડા
સુસ્ત પડી જાય છે. પ્રદૂષણનું ઝેર હવે મધમાખીઓ તેમજ સિલ્ક વર્મ જેવા જીવજંતુઓના
શરીરમાં પણ પ્રવેશી રહ્યું છે. રંગબેરંગી પતંગિયાઓને પણ તેનાથી નુકસાન થઇ રહ્યું
છે. અનેક જગ્યાએ તો અતિરિક્ત પ્રદૂષણને કારણે વૃક્ષ અને છોડ પર પણ વિપરિત પ્રભાવ
જોવા મળી રહ્યો છે.
હવામાં
સલ્ફર ડાયોક્સાઇડ,
નાઇટ્રોજન તેમજ ઓઝોનની વધુ માત્રાને કારણે વૃક્ષ- છોડના પાંદડાઓ
પણ સુકા પડીને તૂટી જાય છે. પર્યાવરણ વિશેષજ્ઞો અનુસાર જો આ પરિસ્થિતિ પર અત્યારે
ગંભીરતાપૂર્વક ધ્યાન નહીં અપાય તો નજીકના ભાવિમાં અનેક વૃક્ષો-છોડો તેમજ જીવ
જંતુઓની પ્રજાતિઓ વિલુપ્ત થઇ જશે.
વન્યપ્રાણી
પ્રત્યે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 3 માર્ચને
વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાદ્યપદાર્થો અને દવાઓ ઉપરાંત, આપણને વન્યજીવનથી ઘણા ફાયદા મળે છે. આ ઉપરાંત વન્યજીવો પણ આબોહવાને
સંતુલિત રાખવામાં મદદ કરે છે. વિશ્વભરમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની લુપ્ત થતી
પ્રજાતિઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 3જી માર્ચે
વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવામાં આવે છે. 3 માર્ચ 2014ના રોજ પ્રથમ વખત વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખી
દુનિયામાં પ્રાણીઓ અને છોડની ઘણી પ્રજાતિઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી છે. હાલમાં
ભારતમાં પ્રાણીઓની 900 થી વધુ પ્રજાતિઓ જોખમમાં છે. જો
સમયસર તેની કાળજી લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખતરનાક બની શકે છે.
વિશ્વ વન્યજીવન
દિવસની શરૂઆત કેવી રીતે થઈ?
20
ડિસેમ્બર 2013ના રોજ, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ તેના 68મા
સત્રમાં, વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને
વનસ્પતિની લુપ્ત થતી પ્રજાતિઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 3 માર્ચે વિશ્વ વન્યજીવન દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. જંગલી
પ્રાણીઓના લુપ્તતાને રોકવા માટે 1872માં સૌપ્રથમવાર
વાઇલ્ડ એલિફન્ટ પ્રિઝર્વેશન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.
વિશ્વ વન્યજીવન
દિવસ 2023 ની થીમ
વિશ્વ
વન્યજીવન દિવસ દર વર્ષે એક થીમ સાથે ઉજવવામાં આવે છે. વિશ્વ વન્યજીવ દિવસ 2023 ની થીમ "વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી" છે. 2022 માં વિશ્વ વન્યજીવન દિવસની થીમ " પરિસ્થિતિની તંત્રની પુનસ્થાપના
માટે મુખ્ય પ્રજાતિઓને ફરીથી લાગૂ કરવી"
વિશ્વ
વન્યજીવન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
ખાદ્યપદાર્થો
અને દવાઓ ઉપરાંત,
આપણને વન્યજીવોથી બીજા ઘણા પ્રકારના લાભ મળે છે. આમાંથી એક એ છે
કે વન્યજીવન સંતુલિત આબોહવા જાળવવામાં મદદ કરે છે. તેઓ ચોમાસાને નિયમિત કરવામાં
અને કુદરતી સંસાધનોની પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે. વિશ્વ વન્યજીવ દિવસ અથવા વિશ્વ
વન્યજીવન દિવસ દર વર્ષે પર્યાવરણમાં પ્રાણીઓ અને છોડના યોગદાનને ઓળખીને અને પૃથ્વી
પરના જીવન માટે વન્યજીવનના અસ્તિત્વના મહત્વને સમજીને ઉજવવામાં આવે છે.
વિશ્વ વન્યજીવ
દિવસની ઉજવણીનો હેતુ
આ
દિવસની ઉજવણીનો હેતુ ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ પણ કારણસર આખી દુનિયામાં લુપ્ત થઈ
રહેલા વન્યજીવન અને વનસ્પતિને બચાવવાની રીતો પર કામ કરવું. પૃથ્વીની જૈવવિવિધતા
જાળવવા માટે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ પર્યાવરણીય
અસંતુલન અને વિવિધ પ્રકારના પ્રયોગોના કારણે કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓનું
અસ્તિત્વ જોખમમાં છે.