Dsagsahay Gujarat - વનબંધુ કલ્યાણ યોજના - 2024

0

ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત
આદિજાતિ વિકાસ વિભાગ



  • આદિજાતિ વિકાસ વિભાગ

        રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિઓના નિવાસી વિસ્તારો ના લક્ષિત વિકાસ માટે સક્રિયપણે આયોજન હાથ ધર્યુ છે. અનુસૂચિત જનજાતિઓ માટે સરકારની દરમિયાનગીરી માટેના લાંબા ગાળાના લક્ષ્યો છે.શિક્ષણ,આરોગ્ય સંભાળ અને આવક પેદા થાય તેવી બાબતોમાં આદિજાતીઓની પહોંચ વધે તે સુનિશ્ર્ચિત કરવુ. અને તે પ્રકારે તેમના જીવનધોરણમાં સુધારો લાવવો.

            આદિજાતિ વિકાસ વિભાગ(TDD)ની રચના સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગની એક પાંખ તરીકે કરવામા આવી હતી પરંતુ હવે તે સ્વતંત્ર પણે કાર્યરત છે

આદિજાતી વિકાસ વિભાગના કાર્યોમા નીચેના સમાવેશ થાય છે :

  • અનુસૂચિત જનજાતીઓનો વિકાસ
  • સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના (ITDP)વિસ્તારનો વિકાસ.
  • આદિવાસી પેટા યોજના (TSP) પર દેખરેખ .
  • અનુસૂચિત જનજાતિઓ ઉપર થતા અત્યચારો રોકવા.
  • જ્ઞાતિ સંબંધિત મુદ્દાઓ પરત્વે કામ કરવુ.

            સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ નોકરીમા અનામત, આશ્રમ શાળાઓ સંબંધિત નીતી-નિર્ધારણ તેમજ વિચરતી જાતિઓ સંબંધિત મુદ્દાઓનુ કાર્ય હાથ ધરે છે. આદિજાતી વિસ્તારોનો વિકાસ કરવાની જવાબદારી કાર્યરત વિભાગોને સુપરત કરવામા આવી છે. જ્યારે આદિજાતી વસતિના હકો અને લાભો ની સંભાળ લેવાનુ કાર્ય મુખ્યત્વે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક રહેલુ છે.

        વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત ક્દારા અમલીત ખેતી અને પશુપાલન સંબંધિત યોજનાઓ તથા વિદ્યાર્થી અને તાલીમાર્થી સંબંધિત વિવિધ યોજનાઓનો લાભ મેળવવા ઇચ્છતા અરજદારશ્રીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી તેઓની પસંદગીની યોજનાઓમાં ઓનલાઇન અરજી સબમીટ કરવાની રહેશે.  -ગ્રામ કેન્દ્ર, ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર, સાયબર કાફેના માધ્યમથી રજીસ્ટ્રેશન / અરજી કરી શકાશે.


અરજી નો પ્રકાર :  ઓનલાઇનફોર્મ 

પાનકાર્ડ, આધારકાર્ડ પ્રિન્ટ, પાસપોર્ટ, જીવનપ્રમાણ, ઓનલાઇન ફોર્મ, ફુડલાઇસન્સ, મોબાઇલ-ટી.વી.રીચાર્જ, કલર પ્રીન્ટ, લેમિનેશન, ડીઝીટલ લોકર, ઇ-મેઇલ, બાયોડેટા, ડોક્યુમેન્ટ સ્કેનિંગ, ડેટાએન્ટ્રી જોબવર્ક, ઓનલાઇન શોપીંગ, AEPS સિસ્ટમ દ્રારા પૈસાની લેવડ-દેવડ-મનીટ્રાન્સફર વગેરે સેવાઓ.-

યોજનાનું નામ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો


  •  મંડપ યોજના જાહેરાત પ્રસિદ્ધ થચેથી તા.૨૦/૦૮/૨૪ સુધી
  • ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા.૨૦/૦૮/૨૪ સુધી
  • સંકલિત ડેરી વિકાસ યોજના જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા.૩૧/૦૮/૨૪ સુધી
  • બકરા ઉછેર યોજના જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા.૩૧/૦૮/૨૪ સુધી
  • કૃષિ યાંત્રિકીકરણ (રોટાવેટર/ થ્રેશર) જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા.૩૧/૦૮/૨૪ સુધી
  • કૃષિ યાંત્રિકીકરણ (મીની ટ્રેક્ટર) જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા.૩૧/૦૮/૨૪ સુધી
  • ટીસ્યુ કલ્ચર બનાના યોજના જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા.૩૧/૦૮/૨૪ સુધી
  • વ્યવસાયલક્ષી તાલીમ યોજના જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા.૨૮/૦૨/૨૫ સુધી

:: જરૂરી દસ્તાવેજ ::  

. અરજદારનો ફોટો

. આધારકાર્ડ

. રેશનકાર્ડ

. જાતિનું પ્રમાણપત્ર

. /૧૨- ની નકલ

. બીપીએલનો દાખલા

. બેન્કખાતાની પાસબુક

૮. વિધવાનું પ્રમાણપત્ર (લાગુ પડતુ હોય તો)

 

:: લાભાર્થીની પાત્રતા ::

. યોજનાનો અમલ આદિવાસી જિલ્લાઓમાં શીડયુઅલ એરીયાપોકેટ અને ક્લસ્ટરમાં વસવાટ કરતાં આદિજાતિ ખેડૂતો માટે કરવનો રહેશે.

. થી ૨૦ સ્કોર ધરાવતા આદિજાતિ ખેડૂત ખાતેદારો યોજનાનો લાભ મેળવી શકશે.

. PVTG (આદિમ જૂથ) હેઠળ જમીન ધરાવતાવિધવા બહેનો તથા દિવ્યાંગ આદિજાતિ ખેડૂત ખાતેદારને યોજનામાં પ્રાથમિકતા આપવાની રહેશે.

. વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ ફાળવેલ આદિજાતિ લાભાર્થીઓ જે થી ૨૦ બી.પી.એલ. સ્કોર ધરાવતા હોય તેમને યોજના હેઠળ લાભ મળી શકશે.

. જે આદિજાતિ લાભાર્થી થી ૨૦ સ્કોર ધરાવતા હોય તેવા એક કુટુંબના એક સભ્યને લાભ મળશે.

:: અરજદાર માટેની સુચના ::

. અરજી કરવાની છેલ્લી તારીખ પછી અરજી સ્વીકારવામાં આવશે નહિ.

. યોજના હેઠળ માત્ર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. કોઇ પણ કચેરીએથી અરજી ફોર્મ વિતરણ કરવામાં આવનાર નથી.

. અરજી માટેના આધાર પુરાવામાં પાસપોર્ટ સાઈઝ ફોટોબીપીએલ -૨૦ સ્કોરનો દાખલોઅનુસૂચિત જનજાતિનો દાખલોજમીનના પુરાવા તરીકે /૧૨ તથા / ની નકલ, FRA Act મુજબ જમીનના પુરાવા (હુકમો સનદ) નકલ (FRA લાભાર્થી માટે )આધાર કાર્ડરેશનકાર્ડબેન્ક પાસબુકવિધવા માટે પતિના મરણનો દાખલોદિવ્યાંગ લાભાર્થી માટે તબીબી પ્રમાણપત્ર.



👉 જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો

👉 વધુ માહિતી અને વેબસાઇટ માટે :  અહીં ક્લિક કરો

👉 નવા લાભાર્થી નોંધણી માટે અહીં Click કરો   

👉 લોગીન માટે અહીં ક્લિક કરો



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)