Type Here to Get Search Results !

Savitribai Phule

Prakashkumar Gamit 0

ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફુલે



જન્મદિન: ૩ જાન્યુઆરી ૧૮૩૧  

મૃત્યુ : ૧૦ માર્ચ ૧૮૯૭

🌞 ૧ જાન્યુઆરી ૧૯૪૮માં ભારતીયો દ્વારા ભારતમાં છોકરીઓ માટે પ્રથમશાળા શરૂ થઈ. આ શાળા પૂનાના ભીડે મહોલ્લામાં પ્રારંભ થઈ હતી. આ શાળામાં સાવિત્રીબાઈ શિક્ષિકા તરીકે કાર્ય કરવા લાગ્યા. આ શાળાની વિશેષતા એ હતી કે આ શાળામાં બધી જાતિવર્ગની છોકરીઓ આવતી હતી. 

🌞 ૧ જાન્યુઆરી....નારી શિક્ષા ગૌરવ દિન

🌞 સાવિત્રીબાઈ ફૂલે એ અંધવિશ્વાસ અને સામાજિક કુરીતિઓની આલોચના કરી, કે જે પાછળ રહી ગયેલા વર્ગની મહિલાઓના શોષણ માટે જવાબદાર હતી. 

🌞 જાતિ અને અસ્પૃશ્યતાને વેગ આપવાવાળો કોઈ ધર્મ નથી હોતો અને જે નવયુગના પડકારોનો સ્વીકાર નથી કરતો, તે સમાજની પ્રગતિને ગતિ પણ નથી આપી શકતો.

🌞 સાવિત્રીબાઈએ ૧૯મી સદીમાં છૂઆછૂત, સતીપ્રથા, બાળવિવાહ અને વિધવાવિવાહ નિષેધ જેવી કુરિતિઓના વિરુદ્ધ, પોતાના પતિ સાથે મળીને કામ કર્યું. 

🌞 નિ:સ્વાર્થ ભાવ અને માનવીય દ્રષ્ટિકોણના ગુણોવાળો વ્યક્તિ એકમાત્ર સંત છે.

લગ્ન સમયે સાવિત્રીબાઈ શિક્ષિત નહોતા કારણ કે બ્રાહ્મણ સમુદાયે નિમ્ન જાતિના લોકો અને સ્ત્રીઓ માટે શિક્ષિણની મનાઈ ફરમાવી હતી. જ્યોતિરાવ પણ પોતાની નિમ્ન જાતિના કારણે અસ્થાયી રૂપથી શિક્ષણ છોડવા બાધ્ય થયા હતા પરંતુ આખરે તેઓ સ્કોટલેન્ડની એક મિશિનરી શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા જ્યાં તેમણે સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.

સરકારી દફતર પ્રમાણે જ્યોતિરાવે સવિત્રીબાઈને ઘરે જ ભણાવ્યા હતા. તેમના જ્યોતિરાવ સાથેના પ્રાથમિક શિક્ષણ બાદ આગળની જવાબદારી તેમના મિત્રો સખારામ યશવંત પરાંજપે અને કેશવ શિવરામ ભાવલકરની હતી. તેમણે બે શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મેળવ્યો. પ્રથમ તેમણે અહમદનગર સ્થિત અમેરિકી મિશિનરી સિંથિયા ફર્રાર દ્વારા સંચાલિત સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. ઉપરાંત પુણેની નોર્મલ સ્કૂલમાં પણ તાલીમ મેળવી. આ તાલીમના આધારે તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષક અને પ્રધાન અધ્યાપિકા માનવામાં આવે છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.