વિદ્યાસહાયક / શિક્ષણસહાયક
આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત અને નિયામકશ્રી, આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર - અનુદાનિત નવસારી જિલ્લામાં આવેલી આશ્રમશાળાઓમાં વિદ્યાસહાયક અને શિક્ષણસહાયકની ભરતી માટેની જાહેરાત.
અરજીનો પ્રકાર : ઓફલાઇન
જાહેરાત : ૧૪/૦૨/૨૦૨૩ (સંદેશ)
અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૮/૦૨/૨૦૨૩
જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટા (જો વધારાની લાયકાત ધરાવતા હોય તો તે પણ) અરજી સાથે સામેલ રાખી તા. ૨૮/૦૨/૨૦૨૩ પહેલાં સંસ્થાના સરનામે મળી જાય તે રીતે ફક્ત R.P.A.Dથી જ અરજી મોકલવાની રહેશે. એકથી વધુ આશ્રમશાળાઓની જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક ઉમેદવારે તમામ સંબંધિત સંસ્થામાં અલગ-અલગ અરજી કરવાની રહેશે. ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા),ની કચેરી, સી-બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જૂનાથાણાં, નવસારી - ૩૯૬૪૪પને મોકલી શકશે.