વિદ્યાસહાયક / શિક્ષણસહાયક - તાપી જિલ્લો

0

વિદ્યાસહાયક / શિક્ષણસહાયક

તાપી જિલ્લો



        આદિજાતિ વિકાસ વિભાગ માન્યતા પ્રાપ્ત અને નિયામકશ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજય ગાંધીનગર અનુદાનિત તાપી જિલ્લામાં આવેલી નીચે મુજ્બની આશ્રમશાળા/ ઉ.બુ.આશ્રમશાળાઓમાં વિધાસહાયક/ શિક્ષણ સહાયકની ભરતી માટે મદદનીશ કમિશ્નર આવિ.તાપી દ્રારા પત્ર.નં.આવિ/મક/એન.ઓ.સી./૨૦૨ ર-૨૩/૫૦૭ થી ૫૩૧તા.૧૫/ર/૨૦ર૩ તથા પ૩૮ થી પ૭ર તા.૧૫/૨/૨૦ર૩થી નાં વાંધા પ્રમાણપત્ર મુજ્બ ગુજરાતી માધ્યમના વિધાસહાયક/શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થાય છે.

અરજીનો પ્રકાર : ઓફલાઇન

જાહેરાત : સંદેશ - ૨૧/૦૨/૨૦૨૩



(૧) વિધાસહાયક / શિક્ષણસહાયક માટે ઉમેદવારો પાસેથી આશ્રમશાળા મુજ્બ અલગ અલગ લાયકાત ધરાવનારનુ પુરેપુરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઇડી પ્રૂફ સાથે સ્વ પ્રમાણિત કરેલ એચ.એસ.સી./પી.ટી.સી./સ્નાતક /બી.એડ .(જાહેરાત પ્રમાણે લાગુ પડતી લાયકાત પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફકત રજિ.એડી.દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન-૧૦ સુધીમાં મંગાવવામાં આવે છે.

(૨) જાહેરાતમાં દર્શાવ્યા મુજબ 11 -1માર્ધ્યામેક વિભાગ માટે અને વિદ્યાસહાયકમાટે ધોરણ ૧ થી પ ટેટ-1 અને ધોરણ-૬ થી ૮ માટે ટેટ -2 ફરજિયાત પાસ કરેલ હોવી જોઇએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવો મુજબની જોગવાઇ મુજબ રહેશે.

(૩) અધુરી વિગતવાળીતથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારોની અરજીઓ રદ થવા પાત્રરહેશે.

(૪) આશ્રમશાળાઓ નિવાસીશાળાઓ હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓએ ફરજીયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે.

(૫) અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સક્ષમ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.

(૬) શિક્ષણ વિભાગ ગુ.રા. ગાંધીનગર ના સુધારા ઠરાવ બમશ/૧૧૫પ/ર ર/ગ/તા.૧૯/ર/૨૦૧૯ મુજબ શિક્ષણ સહાયક રૂ.૨૫૦૦૦/-(અંકે રૂપિયા પચીસ હજાર પુરા)માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. અને વિદ્યાસહાયક ને રૂ.૧૯૯૫૦/-(અંકે રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ પુરા )માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

(૭) સરકારશ્રીના ધારા-ધોરણ વખતો વખતનાં ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલા પણ શિક્ષણ સહાયક સેવા અને વિદ્યાસહાયક સેવાઓ સમાપ્ન કરી શકાશે.

(૮) આશ્રમશાળા ૫૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજિયાત ફરજ નિભાવવાની રહેશે.

(૯) માન.કમિશ્નર આદિજાતી વિકાસ કચેરી ગુ.રા. ગાંધીનગરના પરિપત્ર નંબર આવિ/આશા/ફા,ને/૨ ૩૩૦/૨૦૧૯/૨૦૨૦ થી ૨૦૬૦ તા.૩૦/૧૧/૨૦૧૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.

(૧૦) કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ.

(૧૧ ) ઉમેદવારોએ રજિસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે. કવર ઉપર કઇ આશ્રમશાળા માટે અરજી અને કયા વિષય માટે કરેલ છે. તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી રૂબરૂ કે મુદત કરતાં મોડી આવેલ અરજી સ્વીકારાશે નહીં. શિક્ષણ સહાયકની જાહેરાત મુજ્બ મુખ્ય અને ગૌણ વિષયો બી.એડ.ની મેથડ માં હોવા જોઈએ.

(૧૨) ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી(આશ્રમશાળા),તાપી જિલ્લા સેવા સદન, બ્લોક.નં.૪ પાનવાડી વ્યારા જિ.તાપીને મોકલવાની રહેશે.જો કોઇ ઉમેદવાર ફક્ત આ.વિ.અ.(આશ્રમશાળા )ને અરજી મોકલશે અને મંડળને નહિં મોકલશે તો અરજી રદ થવાપાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.

(૧૩) ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઇ પણ ઉમેદવાર નિમણૂક માટે હક્ક દાવો માંડી શકશે નહીં.

(૧૪) સરકારી અનુદાનિત બૉર્ડ/કર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.

(૧૫) પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિ નિર્ણય આખરી રહેશે.


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)